નશાની હાલતમાં પાવડીયારી કેનાલ નજીક પાણી ભરેલ ખાડામાં ડૂબી જતા આધેડનું મોત

- text


મોરબી : મોરબીમાં પાવડીયારી કેનાલ નજીક એક આધેડ નશાની હાલતમાં પાણી ભરેલ ખાડામાં ડૂબી જતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

મોરબી તાલુકાના સાપર ગામમાં પાવડીયારી કેનાલ પાસે એક્સોલી સીરામીક સામે પાણીના ખાડામાં રાજુભાઇ નાનકીયાભાઇ ખરદીક (ખરાડી) (ઉ.વ. આશરે 46, રહે. આબાદી, તા. પેટલવાદ, જી. જાંબુઆ, રાજ્ય-મધ્યપ્રદેશ) અજાણ્યા કારણોસર ડૂબી ગયો હતો. આથી, તેમનું મૃત્યુ થયું હતું. રાજુભાઈને નશો કરવાની આદત હતી અને 24 કલાક નશામાં રહેતો હતો. પોલીસે આ બનાવમાં મૃતક રાજુભાઈના મૃતદેહનું પોસ્ટમોટમ સહીતની તજવીજ હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text