મોરબી : પાણી પુરવઠાની યોજનાનું ઓનલાઈન લોકપર્ણ-ખાતમુહૂર્ત મંગળવારે સીએમના હસ્તે

- text


મોરબી : મોરબી શહેર પેકેજ-2 પાણી પુરવઠા યોજનાનું ઓનલાઈન લોકપર્ણ તથા હળવદના બ્રાહ્મણી-1 અને 2 ડેમ આધારિત એનસીડી ગ્રુપ 4 સુધારણા યોજનાનું ઓનલાઈન ખાતમુહૂર્ત આવતીકાલે તા.22 ના રોજ મંગળવારે સવારે 9-30 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવશે.જેમાં આ કાર્યક્રમ મોરબી શહેરી વિસ્તાર માટે ટાઉનહોલ ખાતે તેમજ હળવદના ગ્રામ્ય વિસ્તારો માટે ચરાડવા તથા સમલી ગામે યોજાશે તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

 

- text