- text
માળીયા (મી.) : માળીયા મી. તાલુકાના વર્ષામેડી ગામે આવેલ વોકળામાં ડૂબી જવાથી એક યુવાનનું કરુણ મોત થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની માળીયા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયાના વર્ષામેડી ગામે રહેતા અરવિંદભાઈ બાબાભાઈ ચાવડા (ઉ.વ.35) નામનો યુવાન ગત તા.15 ના રોજ ગામના વોકળાના ધસમસતા પાણીના પ્રવાહમાં ડૂબી ગયો હતો અને પાણીના પ્રવાહમાં ડૂબી જવાથી આ યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવથી મૃતકના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. માળીયા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- text
મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate
- text