- text
મોરબી : મોરબીના વોર્ડ નં.13ના નગરપાલિકાના કાઉન્સિલર નગવાડીયા ભાનુબેન દ્વારા વીજ પુરવઠાની સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે.
- text
તેઓએ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબીના જેલ રોડ પર આવેલ વોર્ડ નં. 13માં રબારીવાસ, વણકરવાસ, વજેપર, મકરાણીવાસમાં દિવસ દરમિયાન 3-4 વખત વીજ પુરવઠો ખોરવાય છે. અવાર-નવાર પીજીવીસીએલમાં કોલ કરી જાણ કરવી પડે છે. આ સમસ્યાના લીધે સ્થાનિકો પરેશાન છે. તો આ સમસ્યા અંગે તાત્કાલિક નિવારણ લાવવા માટે પગલાં લેવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.
- text