મોરબીના રામધન આશ્રમ દ્વારા અવિરત સેવાયજ્ઞ

- text


મોરબી : કોરોનાના કહેર વચ્ચે મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીમા દ્વારા લોકડાઉન શરુ થયું ત્યારથી અત્યાર સુધી દરરોજ 11 પરિવાર પરિવારોને રાસન તેમજ માસ્ક અને છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ભાવેશ્વરીમાંએ એસઆરપી જવાનોને વિદાય વખતે ફૂલોથી સન્માન કરી કોરોના વોરિયર્સને સલામી આપી હતી. તેમજ જવાનોને રહેવા તેમજ છાશ-ચા-પાણીની સુવિધા કરી આપવામાં આવી હતી. સાથે જ શ્રમજીવી પરિવારોને ઠંડા પાણી માટે માટલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સાંજના સમયે જલારામ મંદિર તરફથી આવતી કીટનું વિતરણ આશ્રમની આજુબાજુના વિસ્તારમાં વસતા શ્રમજીવી પરિવારોમાં કરવામાં આવેલ છે. આમ, ભાવેશ્વરીમાં તેમજ સ્ટાફ દ્વારા લોકડાઉન દરમિયાન અવિરત સેવાયજ્ઞ ચાલુ છે.

- text