અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતા મોરબીના આચાર્યના પુત્ર ડો. તરૂણ વડસોલા

- text


મોરબી : મોરબીના પૂર્વ બી.આર.સી. કો. ઓર્ડીનેટર અને અનેક સેવાકીય પ્રકલ્પો સાથે સંકળાયેલા અને માધાપરવાડી કન્યા શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલાના પુત્ર ડો. તરુણ વડસોલા હાલ કોરોના વાયરસની મહામારી વચ્ચે અમદાવાદમાં કોરોના દર્દીઓની સેવાસુશ્રા કરી રહ્યા છે. મોરના ઈંડા ચીતરવા ન પડે એમ પિતાના પગલે ચાલી કર્મને જ ધર્મ માની કાર્ય કરતા ડો. તરુણ વડસોલાની આવી ઉત્તમ કામગીરી બદલ અભિનંદન તેમજ પરમાત્મા એમને ક્ષેમકુશળ રાખે અને કોરોના દર્દીઓની સેવા કરવાની શક્તિ અર્પે, તેવી પ્રાર્થના જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ એસ. દેથરીયા તથા મહામંત્રી દિનેશભાઈ આર. હુંબલ દ્વારા યાદીમાં કરવામાં આવેલ છે.

- text