વાંકાનેર માર્કેટ યાર્ડ દ્વારા ખેત પેદાશોની ખરીદ–વેચાણ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ

- text


વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુર ખાતે આવેલ ડો. એ. કે. પીરઝાદા માર્કેટ યાર્ડ – એ.પી.એમ.સી. ખાતે ખેત પેદાશો ખરીદ–વેચાણ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરેલ છે. સરકારની સુચના મુજબ માર્કેટ યાર્ડ ચાલુ થયે નોંધાયેલ ખેડુતોને ક્રમવાર બોલાવવામાં આવશે. ખરીદ–વેચાણ માટે નોંધણી તા. 18થી 22 એપ્રિલ સુધી સવારે 9થી 12 વાગ્યા સુધીમાં કરવાની રહેશે. ઘઉં માટે મો. 81282 27993, કપાસ માટે મો. 96648 00272, જીરૂ, વરીયાળી માટે મો. 95741 14552 તથા ચણા, ધાણા અને અન્ય તમામ માટે મો. 76007 09041 પર સંપર્ક કરવાનો રહેશે.

- text

ઉલ્લેખનીય છે કે યાર્ડમાં ફરજીયાતપણે માસ્ક પહેરી મોઢે રૂમાલ બાંધીને આવવાનું રહેશે. માલ સાથે ડ્રાઈવર અને એક જ વ્યકિતને પ્રવેશ મળશે. અન્ય કોઈને પ્રવેશ મળશે નહી. છુટક ખરીદનાર ગ્રાહકોને હરરાજી માં પ્રવેશ મળશે નહી. વેપારીઓએ પોતાનું ઓળખકાર્ડ સાથે લાવવાનું રહેશે. યાર્ડ ખાતે આપવામાં આવતી સોશ્યલ ડિસ્ટન્સીંગ અંગેની તમામ સુચનાઓનું પાલન કરવાનું રહેશે. તેમજ વર્ષ 2020-21 ના લાયસન્સ રીન્યુ પ્રકીયા શરૂ થઈ ગયેલ છે. વધુ માહિતી લોકડાઉન ખુલ્યે ઓફીસેથી માહીતી મેળવવાની રહેશે., તેમ વાંકાનેરની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતો, કમિશન એજન્ટ તથા વેપારીઓને જાણવામાં આવેલ છે.

- text