મહેન્દ્રનગરના ઉપસરપંચને ફરી હોદા ઉપર પુનઃસ્થાપિત કરવાનો હાઇકોર્ટેનો હુકમ

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામના ઉપ સરપચને અગાઉ હોદા પરથી દૂર કરીને સસ્પેન્ડ કરવામાં અવ્યા હતાં તેથી તેમણે આ સસ્પેન્ડ કરવાના હુકમને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં હાઇકોર્ટે મહેન્દ્રનગર ગામના ઉપસરપંચને હોદા પર પુનઃનિયુક્તિ કરવાનો આદેશ આપ્યો છે.

મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગ્રામ પંચાયતના ઉપસરપંચ રાજાભાઈ મનજીભાઈ પરમારને અગાઉ જિલ્લા વિકાસ અધિકારીએ ગુજરાત પંચાયત અધિનયમ હેઠળ ઉપસરપંચના હોદા ઉપરથી દૂર કરી દીધા હતા. આથી તેઓ ડીડીઓના સસ્પેન્ડ કરવાના આ હુકમ સામે ગાંધીનગરના અધિક વિકાસ કમિશનરને અપીલ અરજી કરી હતી. પણ આ અધિક કમિશનરે તેમની અપીલને નામંજુર કરીને ડીડીઓના સસ્પેન્ડ કરવાના હુકમને કાયમ રાખ્યો હતો અંતે તેઓએ હાઇકોર્ટેના દ્વારા ખટખટાવ્યાં હતા. જેમાં હાઇકોર્ટે આ કેસમાં મહેન્દ્રનગરના ઉપસરપંચ રાજાભાઈ મનજીભાઈ પરમારને ફરી ઉપસરપંચના હોદા પર પુનઃનિયુક્તિ કરવા જિલ્લા વિકાસ અધિકારીને આદેશ આપ્યો હતો.

- text

- text