મોરબી : રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે

- text


જાણીતા વક્તા અને લેખક જય વસાવડા વક્તવ્ય આપીને વિધાર્થીઓને પ્રોત્સાહિત કરશે

મોરબી : મોરબીમાં વડવાળા યુવા સંગઠન મોરબી દ્વારા આગામી તા.23 જાન્યુઆરીને ગુરુવારે બપોરે 4 વાગ્યે ઓમ પાર્ટી પ્લોટ ,કેનાલ ચોકડી , રવાપર રોડ મોરબી ખાતે રબારી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દુધરેજ – વડવાળા મંદિરના પૂ.મહા મંડલેશ્વર1008 મહંત શ્રી કનીરામદાસ બાપુ ગૃરુશ્રી કલ્યાણદાસજી બાપુના પ્રમુખસ્થાને આ કાર્યક્રમ યોજાશે અને તેમના હસ્તે આ કાર્યક્રમનું દીપ પ્રાગટય થશે.

- text

જ્યારે મેઘ મંડલેશ્વર રામબાલકદાસ બાપુ ગૃરુશ્રી પુરણદાસ બાપુ ,બંસીધર બાપુ ગુરુશ્રી જીણારામદાસ બાપુ ,મુકુંદરામદાસજી બાપુ ગૃરુશ્રી કલ્યાણદાસજી બાપુ ,સુંદરદાસ બાપુ ગૃરુશ્રી રામબાલકદાસ બાપુ ,મગનીરામબાપુ ગરુશ્રી જીણારામ બાપુ સહિતના પરમ આદરણીય સંતો મહંતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવશે.તેમજ મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા ,રાજકોટના ડી.વાય.એસ.પી.રાકેશ દેસાઈ ,મોરબી એસ.ઓ.જી.ના પી.આઈ.જે.એમ.આલ ,હળવદના પી.આઈ.એસ.જી.ખાંભલા ,રાજકોટ જી.એસ.ટી.વિભાગના સી.ટી.ઓ.ભરતભાઈ એલ.જીયડ સહિતના મહાનુભવો અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમમાં યુવાનોના રોલ મોડલ ગણાતા જાણીતા વક્તા અને લેખક જય વસાવડા વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહક વક્તવ્યનું ઉદબોધન કરશે.આ કાર્યક્રમને સફળ બનાવવા વડવાળા યુવા સંગઠન મોરબી દ્વારા ભારે જહેમત ઉઠવાઈ રહી છે અને સૌ રબારી સમાજના લોકોએ આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

- text