મોરબીમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા યુવાને કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી.આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ રામકૃષ્ણનગરમાં રહેતા અહેમદહુશેન દાદુભાઈ પીંજારા ઉ.વ.19 નામના યુવાને ગઈકાલે સાંજે કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.બાદમાં યુવાનના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- text

 

- text