વાંકાનેર : ઉછીના પૈસા મામલે યુવાનને માર માર્યાની ફરિયાદ

- text


યુવાનની ફરિયાદ પરથી વાંકાનેર પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

વાંકાનેર : વાંકાનેરમાં ઉછીના પૈસા નહિ આપવા મામલે ઠપકો આપતા યુવાનને બે શખ્સોએ માર માર્યો હતો.યુવાને આ બનાવની ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર દિનેશભાઇ વનાભાઇ મેર ઉ.વ.૩૦ રહે સતાપર, વાંકાનેર વાળાએ જયરાજભાઇ કાઠી રહે. રંગપર,વાંકાનેર, વનાભાઇ ગેલાભાઇ મેર રહે સતાપર, વાંકાનેર સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે,ગત તા.૪ના રોજ સાંજના સાતેક વાગ્યના અરસામા સતાપર ગામે બનેલા આ બનાવમાં આરોપી ફરીયાદીના પિતાને પૈસા આપતા હોય જેથી ફરીયાદીએ આરોપીને ઉછીના પૈસા નહિ આપવા ઠપકો આપ્યો હતો. તે બાબતનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી લોખંડના પાઇપ વતી માર માર્યો હતો.તેમજ આરોપીઓએ ફરીયાદીને છુટા પથ્થરના ધા કરી માથામાં ભાગે તેમજ ડાબી આંખની નેણ પાસે ઇજા પહોચાડી હતી.આ બનાવની યુવાને ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text