મોરબી સબ જેલના કેદીને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો

- text


મોરબી : મોરબીના સામાકાઠે સો ઓરડી પાછળના ભાગે રહેતા અને હાલ મોરબી સબજેલમાં પાકા કામના કેદી તરીકે રહેતા આધેડને કિડનીની બિમારી સબબ સારવારમાં રાજકોટ હોસ્પિટલ ખાતે લઇ જવાયેલ હતા.

- text

પ્રાપ્ત વિગત મુજબ મોરબીના સામેકાંઠે સો ઓરડીની પાછળ માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતા અજયભાઇ ગોરધનભાઈ નંદેશરીયા (ઉમર વર્ષ ૫૦) ઉપર કોર્ટ કેસમાં તેને સજા પડતાં પાકા કામના કેદી તરીકે અજયભાઇને હાલ મોરબી સબ જેલમાં કેદ હતા. તે દરમિયાન ગઈકાલે તેઓને કિડનીની બિમારી સબબ દુખાવો ઉપડતાં તેઓને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- text