મોરબીના જેતપર ગામ પાસે પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

- text


મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામ પાસે આવેલ વોંકળામાંથી આજે વહેલી સવારના યુવાનની લાશ મળી આવી હતી.આ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે વોકળામાં ભરેલા પાણીમાં એક યુવાનની લાશ મળી આવી હતી.આ બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ દ્વારા સ્થળ ઉપર જઈને તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ મૃતકના શરીર ઉપર ઇજાના કોઇ નિશાન જણાયા ન હતા અને મૃતક શભૂસિંગ ખોખાસિગ ઉ.વ.29 નામનો પરપ્રાતીય યુવાન હોવાની ઓળખ મળી હતી.આ યુવાનનું ડૂબી જવાથી મોત થયું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. પોલીસે તેની લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી આ બનાવની આગળની તપાસ હાથ ધરી છે.

- text