લજાઈના નટવરલાલને મોરબી સહિત 5 જિલ્લામાંથી હદપાર કરતી ટંકારા પોલીસ

- text


ટંકારા : તાલુકાના લજાઈ ગામના શખ્સને મોરબી જિલ્લા સહિત પાંચ જિલ્લાઓમાંથી હદપાર કરવાના હુકમની બજવણી ટંકારા પોલીસ દ્વારા કરવામાં આવી છે.

- text

ટંકારા તાલુકાના લજાઈ ગામના નટવરલાલ ઉર્ફે નટુભાઈ મનજીભાઈ મકવાણાને મોરબી, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ (ભુજ) જિલ્લામાંથી હદપાર કરવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાની સૂચનાથી તથા નાયબ પો.અધિક્ષક ડી.જી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ડી.એમ દ્વારા ઇસ્યુ થયેલા હદપારીના હુકમની બજવણી ટંકારા પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ. ફિરોજખાન પઠાણ, પો.કોન્સ. રાહુલભાઈ છૈયા અને પો.કોન્સ. મયુરભાઈ ઝાપડાએ કરી હતી.

- text