પાટીદાર નવરાત્રી મહોત્સવના તા.29ના પાસ આજે પણ ચાલશે

- text


નવમા નોરતે એસપી ડો.કરનરાજ વાઘેલા અને આયોજક અજયભાઈ લોરીયા સહિતના ગરબે ઝૂમયા

મોરબી : મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવ પ્રથમ નોરતે તા. 29ના રોજ વરસાદના કારણે બંધ રહ્યો હતો. જેથી તા. 29ના રોજના પાસ ઉપર આજે પણ ખેલૈયાઓને એન્ટ્રી આપવાનો આયોજકોએ નિર્ણય લીધો છે. વધુમાં આજે અંતિમ દિવસ હોય ખેલૈયાઓ બેવડા ઉમંગ સાથે મન ભરીને ઝૂમવાના છે.

પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન ગૌ શાળાઓ તથા આર્થિક રીતે નબળા તેજસ્વી વિદ્યાર્થીઓના લાભાર્થે કરવામાં આવ્યું છે. આ નવરાત્રી મહોત્સવમાં દરરોજ કીર્તિદાન ગઢવીના સુર ઉપર ખેલૈયાઓ મન મુકીને ઝૂમી રહ્યા છે. ગઈકાલે નવમા નોરતે પાટીદાર નવરાત્રી મહોત્સવમા ઇન્ડિયન આઇડલના રનર્સ અપ નીતિન કુમારે પોતાના સુમધુર કંઠે ખેલૈયાઓને ડોલાવ્યા હતા.

આ સાથે કીર્તિદાન ગઢવીએ પણ લાડલી ગીત ગાઈને ખેલૈયાઓને મન મોહી લીધા હતા. નવમા નોરતે ડિસ્ટ્રિકટ જજ ઓઝા સાહેબ, જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, વાંકાનેરના ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા સહિતના મહેમાનોની ખાસ ઉપસ્થિતિ રહી હતી. આ તકે જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાએ તેમજ આયોજક અજયભાઈ લોરીયાએ ગરબે ઘૂમીને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text