- text
એસ.પી. ડો.કરનરાજ વાઘેલા સહિતના પોલીસ અધિકારીઓ તેમજ પત્રકારો સહપરિવાર જોડાયા : શનિવારે પણ શરદપૂનમ નિમિત્તે રાસ ગરબાનો કાર્યક્રમ યોજાશે
મોરબી : મોરબીના સામાકાંઠે તાલુકા પોલીસ લાઇન ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં નવમા નોરતે સુપ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવીએ પોતાના સુમધુર કંઠે સૌને ડોલાવ્યા હતા. આ વેળાએ એસ.પી. ડો.કરનરાજ વાઘેલા સહિતના પોલીસ અધિકારીઓ તેમજ પત્રકારોએ સહપરિવાર મોટી સંખ્યામાં હાજરી આપી ગરબા રમ્યા હતા.
મોરબીમાં સુરક્ષા સેતુ અંતર્ગત જિલ્લા પોલીસ પરિવાર દ્વારા તાલુકા પોલીસ લાઇન ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ મોટી સંખ્યામાં પોલીસ પરિવારો ગરબે ઘૂમે છે. ત્યારે ગઈકાલે નવમા નોરતે અહીં ખાસ કીર્તિદાન ગઢવીએ ઉપસ્થિત રહીને રમઝટ બોલાવી હતી. આ તકે જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા, પીઆઇ ચૌધરી, ગઢવી તેમજ જે.એમ.આલ સહિતના પોલીસ અધિકારીઓ,કર્મચારીઓ તેમજ મીડિયા પર્સન તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.
કીર્તિદાન ગઢવીના સુર ઉપર સૌ કોઈ મન મૂકીને ઝૂમી ઉઠ્યું હતું. આ ઉપરાંત એસપી ડો.કરનરાજ વાઘેલાએ આ તકે જણાવ્યું હતું કે આગામી શનિવારના રોજ શરદ પૂનમ નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હકાભા ગઢવી સહિતના કલાકારો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં પધારવા આમંત્રણ પાઠવું છું.
- text
Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.
મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN
ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274
- text