- text
મોરબી : મોરબીના લાતીપ્લોટમાં એક શ્રમિકે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે એ ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- text
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં આવેલ રાજા વુડ નામની લાતીમાં મજૂરી કામ કરતા કાદરભાઈ યૂસુફભાઈ દલવાણી ઉ.વ. 25 રહે. જોન્સનગરવાળાએ કોઈ કારણોસર લાતીમાં જ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ મામલે સિટી એ ડિવિઝન પોલીસે નોંધ કરીને શ્રમિકના આપઘાત પાછળનું કારણ શોધવા તપાસ આદરી છે.
- text