મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન

- text


મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી 22 સપ્ટે.ના રોજ લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધો. 9 અને તેથી ઉપરના ધોરણના વિદ્યાર્થીઓને શિલ્ડ અને સર્ટિફિકેટ સહિતના ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. મંડળના પ્રમુખ પંકજભાઈ ચંડીભમ્મરના જણાવ્યા અનુસાર કાર્યક્રમમાં ભાગ લેવા માટે ફોર્મ ભરવા માટેની છેલ્લી તા. 12 સપ્ટે. રાખવામાં આવી છે. આ ફોર્મ જલારામ ટ્રેડિંગ, ગાંધી ચોક તથા મનોજ ઝેરોક્ષ, કુબેર નાથ મંદિર વાળી શેરી પરથી મળી શકશે. આ સમારોહ આગામી 22 સપ્ટે.ના રવિવારે સાંજે 5:30 વાગ્યે લોહાણા વિદ્યાર્થી ભુવન, વસંત પ્લોટ ખાતે યોજવામાં આવશે. તેમજ વધુ માહિતી માટે પ્રમુખ પંકજભાઈ ચંડીભમ્મર તથા પ્રોજેક્ટ ચેરમેન હરીશભાઈ કાનાબારનો સંપર્ક કરવાનું યાદીમાં જણાવ્યું છે.

- text