ટંકારાના જયનગરમા મહિલાએ જાત જલાવીને આપઘાત કર્યો

- text


ટંકારા : ટંકારાના જયનગર ગામે પરિણીત મહિલાએ પોતાના પિયરમાં જાત જલાવીને આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ટંકારા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારા તાલુકાના જયનગર ગામે રહેતા રામાભાઈ તેજાભાઈ સાવડીયાના ઘરે ફળિયામાં તેમના પુત્રી શિલ્પાબેન ઉ.વ. 28એ કોઈ કારણોસર પોતાની માથે કેરોસીન છાંટીને આગ ચાંપી દીધી હતી. જેથી તેઓનું મોત નીપજ્યું હતું.

- text

મૃતક મહિલાના લગ્ન પંચસિયા ગામે થયા હતા. તેમનો લગ્નગાળો બે વર્ષનો હતો. હાલ ટંકારા પોલીસના હેડ કોન્સ્ટેબલ એન.કે. રાઠોડે આ મામલે નોંધ કરી મહિલાના આપઘાત પાછળનું કારણ શોધવા માટે તપાસ હાથ ધરી છે.

- text