વાંકાનેર સિટીમાં ફરી એક વાર જાંબાઝ પીએસઆઇ એ.બી. જાડેજા મુકાયા

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પીએસઆઈ તરીકે ફરી જાંબાઝ એ.બી. જાડેજાને પોસ્ટિંગ આપવામાં આવેલ છે સ્વભાવમાં સરળ એવા એ.બી. જાડેજા પ્રજાના પ્રીય અને ગુનેગારો માટે કડક છાપ ધરાવે છે. વાંકાનેરમાં તેમનું પોસ્ટિંગ થતાં આગામી સમયમાં ગુનેગારો માટે કપરો સમય આવશે તે વાત તો નિશ્ચિત છે અગાઉ એ બી જાડેજા મોરબી બી ડિવિઝન,ટંકારા ,પેરોલ ફર્લો સ્કોડમાં સરાહનીય કામગીરી બજાવી ચુક્યા છે ત્યારે ફરી એકવાર તેઓને વાંકાનેર પીએસઆઇ તરીકે એ.બી.જાડેજાને મુકવામાં આવતા ગુનેગારો માં ફફડાટ વ્યાપી ગયો છે કડક અધિકારી ની છાપ ધરાવતા પીએસઆઇ જાડેજા એ વાંકાનેર સીટી પીએસઆઈ તરીકે વિધિવત ચાર્જ સંભાળી લીધો છે.

- text