- text
મોરબી : મોરબીમાં સીરામીક ઉધોગકારો દ્વારા હાલની ચોમાસામાં સીઝનમાં વૃક્ષારોપણનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.જેમાં સીરામીક ઉધોગકારો વૃક્ષોનું વાવેતર કરીને તેનું કાળજીપૂર્વક જતન કરવાનો સંકલ્પ લઈ રહ્યા છે. ત્યારે મોરબીના જાંબુડિયા ગામ પાસે આવેલા એરિક્ષ સીરામીક કંપની દ્વારા 100 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. મોરબીમાં ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે વૃક્ષના વાવેતર માટે અનુકૂળ વાતાવરણ ઉભું થતા સીરામીક ઉધોગકારો પર્યાવરણનું જતન કરવાની નેમ સાથે સ્વંયભુ રીતે વૃક્ષારોપણ અભિયાન ચલાવી રહ્યા છે. અનેક સીરામીક ઉધોગકારો પર્યાવરણનું જતન કરવા માટે પોતાના ઉતરદાયિત્વની જવાબદારી સુપેરે નિભાવી રહ્યા છે અને અનેક સીરામીક ઉધોગકારો ઔધોગિક ઝોનમાં વૃક્ષોનું વાવેતર કરી રહ્યા છે.ત્યારે મોરબી નજીક નેશનલ હાઇવે પર જાંબુડિયા ગામ પાછળ આવેલા એરિક્ષ સીરામીક કંપની દ્વારા 100 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં આ સીરામીક કંપનીના મેનેજિંગ ડાયરેકટર દિનેશભાઇ ચનિયારા, દિલીપભાઈ ચોપડા, જયદેવભાઈ મેરજા, રાજેશભાઇ પટેલ, નરેશભાઈ સવસાણી ઉપસ્થિત રહીને વૃક્ષોનું કાળજી પૂર્વક જતન કરવાનો સંકલ્પ કર્યો હતો.
- text
આપણું મોરબી..આપણો રેડીઓ..
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne
- text