મોરબીમાં તરુણની હત્યા કરી લાશને સળગાવી દેવાઈ

- text


હતભાગી તરુણ આડા સબંધમાં આડખીલી રૂપ હોવાથી હત્યા થયાની આશંકા

મોરબી : મોરબીના ઘુન્ડા ગામની સીમમાં તરુણની હત્યા કરી લાશને સળગાવી દીધી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.જોકે આ તરુણ ગઈકાલે ગુમ થયા બાદ તેના અપહરણની ફરિયાદ નોંધાઇ હતી.અજાણ્યા શખ્સોએ આ તરુણનું અપહરણ કરી તેની હત્યા કરી સળગાવીને ક્રૂર હત્યા કરી નાખી હોવાનું બહાર આવતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે.

- text

આ હીંચકારીભર્યા હત્યાના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઘુન્ડા ગામની સીમમાં આજે એક તરુણની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી બનાવની તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમીક તપાસમાં આ બનાવ હત્યાનો હોવાનું તારણ નીકળ્યું છે અને મૃતક હિતેશ અશોકભાઈ ચાવડા ઉ.વ.11 નામનો તરુણ હોવાની ઓળખ મળી છે. વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર આ હતભાગી તરુણ મૂળ મોરબી તાલુકાના પાનેલી ગામનો વતની અને હાલ મોરબી તેના મામાના ઘરે રહી ઓમ શાંતિ વિધાલયમાં અભ્યાસ કરતો હતો. જોકે તે ગઈકાલે સાંજના સમયે અચાનક ગુમ થઈ ગયો હતો. બાદમાં તેના અપહરણની ફરિયાદ નોંધાઇ હતી. એવી પણ વિગતો બહાર આવી છે કે, અજાણ્યા શખ્સોએ તેનું અપહરણ કરી ઘુન્ડા ગામની સીમમાં લઈ જઈને તેની હત્યા કરી સળગાવીને ક્રૂર હત્યા કરી નાખી હતી. જોકે તરુણ આડાસંબંધોમાં આડખીલી રૂપ હોવાથી તેની હત્યા કરાઈ હોવાની પણ શંકા વ્યક્ત થઈ રહી છે. પોલીસે આ મામલે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે તરુણની હત્યાનું સાચું કારણ શું છે તે નક્કર વિગતો આરોપીઓ ઝડપાયા બાદ જ માલુમ પડશે.

- text