ટંકારામા આર્યવીર દળ દ્વારા દેશભક્તિ ગીતની સ્પર્ધા યોજાઈ

- text


૨૦ બાળ કલાકારોએ સ્પર્ધામાં સુર રેલાવ્યા : લોકજાગૃતિ અર્થે નાટક પણ રજૂ કરાયું

ટંકારા : ટંકારામા આર્યવીર દળ દ્વારા દર વર્ષે યોજાતી ઓપન ટંકારા તાલુકા દેશભક્તિ ગીત સ્પર્ઘા લક્ષ્મી નારાયણ સોસાયટીના સાર્વજનિક પ્લોટ ખાતે રાખવામાં આવી હતી. આ સ્પર્ઘામાં ૨૦ બાળકોએ ગીત રજુ કર્યા હતા. જેમા બે ગ્રુપ બનાવ્યા હતા. સ્પર્ધકોએ સુરીલા શુરથી ભારત માતાના સંતાનો અમર શહિદોને યાદ કરી જોમ અને જુસ્સા સાથે ગીતો રજૂ કર્યા હતા.

આ તકે આર્યસમાજ ત્રણ હાટડીના હસમુખજી પરમાર, ટંકારાના રાજકિય અગ્રણી બેચરભાઈ ધોડાસરા, હિમાંશુ જોષી, પરેશ કોરીંગા, ભરતભાઈ વડધાસીયા, રાંકજાભાઈ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ ઉપરાંત સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના સંચાલકોએ પણ વિશાળ સંખ્યામાં હાજરી આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ સાથે સ્પર્ધા દરમિયાન નાટક પણ રજૂ કરવામાં આવ્યા હતા. સ્પર્ધાના અંતે ભાગ લેનાર તમામ સ્પર્ધકોને શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

- text

- text