મોરબીના જેતપર ગામે જુના મનદુઃખમાં બે પરિવારો વચ્ચે મારામારી

- text


બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીના જેતપર ગામે આવેલા વણકર વાસમાં રહેતા બે પરિવારો વચ્ચે જુના મનદુઃખમાં માથાકૂટ થયા બાદ મારામારી થઈ હતી. આ બનાવ મામલે બન્ને પરિવારોએ સામસામી ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

મોરબીના જેતપર ગામે આવેલા વણકર વાસમાં રહેતા મોહનભાઇ અરજણભાઈ મકવાણા ઉ.વ.70 એ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓ કિરણ ગોરધનભાઇ મકવાણા, કિશોર નાનજીભાઈ મકવાણા અને દિલીપ કિશોરભાઈ મકવાણા ગતરાત્રીના સમયે કોઈ બાબતે રમેશભાઈ સાથે બોલાચાલી કરીને લાકડાના ધોકાથી માર મારવા લાગતા તેમને બચાવવા ફરિયાદી વચ્ચે પડ્યા હતા. આથી આરોપીઓએ તેમને પણ લાકડાના ધોકાથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.સામા પક્ષે આજ ગામમાં રહેતા કિરણભાઈ ગોરધનભાઇ મકવાણાએ વળતી ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ રમેશ જીવાભાઈ મકવાણા, મોહનભાઇ અરજણભાઈ મકવાણા અને જગદીશભાઈ મોહનભાઇ મકવાણાએ કોઈ જૂની બાબતની મનદુઃખનો ખાર રાખી તેમને તથા તેમની સાથે રહેલા અન્ય વ્યક્તિઓને લાકડાના ધોકાથી તથા ઢીકાપાટુંનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text