મોરબીમાં સતેશ્વર મહાદેવ મંદિરે ૨૦મીથી શિવ મહાપુરણ કથા

- text


મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલની બાજુમાં આવેલ સતેશ્વર મહાદેવ મંદિરે મંદિરના જીર્ણોધ્ધરના લાભાર્થે શિવ મહાપુરાણ કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુપ્રસિધ્ધ વક્તા મહાદેવગીરી બાપુ શિવકથાનું રસપાન કરાવશે, જ્યારે દીપ પ્રાગટય શ્રી દશનામ નાગા સન્યાસી આંતરરાષ્ટ્રીય સગાંઠન મંત્રી ગોપાલગીરી બાપુ, ગોપાલધામ ગિરનારી આશ્રમ મોલડી હંસાગીરી માતાજી, ગિરનારી આશ્રમ ગંગેશ્વર મહાદેવ મંદિર લીલાપર રોડ, નરેન્દ્રગીરી બાપુ મહંત ચોટીલાના હસ્તે કરાશે. તા. 22ના રોજ રાત્રીના સમયે ચિત્રા હનુમાનજી મંદિર ધૂનમંડળનો ધુનનો કાર્યક્રમ તથા તા.24ના રોજ રાત્રીના સમયે નિતિનગીરી બાપુ અને કિશોરગીરી બાપુનો સંતવાણીનો કાર્યક્રમ યોજાશે તેથી આ શિવ કથાનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે.

- text

- text