મોરબી : સોસાયટીઓમાં રસ્તા ઉપર મોતના ખાડા

- text


નગરપાલિકા દ્વારા રસ્તાનું કામ શરૂ કરાયું પરંતુ ખુલ્લી ગટર અને ખાડા જોખમી બન્યા

મોરબી : મોરબી છાત્રાલય રોડ વિસ્તારમાં આવેલી ચારથી પાંચ જેટલી સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી રસ્તાના કામ ચાલુ કરાયા બાદ રસ્તા ખોદીને મૂકી દેવામાં આવતા રાહદારીઓ માટે જીવનું જોખમ સર્જાયું છે.

જાગૃત નાગરિક નિલેશ કુમાર સરસાવડીયા દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી છાત્રાલય રોડ ઉપર આવેલ ઓમશાન્તિ પાર્ક, આશા પાર્ક, રાધાપાર્ક, સહિતની પાંચથી છ સોસાયટીઓમાં રોડ રસ્તાનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે પરંતુ અહીં કામ અધૂરું છોડી ખોદેલા રસ્તા યથાવત મૂકી દેવતા જોખમી બનેલા ખાડા વૃદ્ધો, વડીલો માટે અકસ્માત સર્જી રહ્યા છે.

- text

આ ઉપરાંત અહીં ભૂગર્ભ ગટરના ઢાંકણ પણ ખુલ્લા મૂકી દેવામાં આવતા રોગ ચાળાના ખતરાની સાથે સાથે લોકોના જીવનું જોખમ ઉભું થયું હોય તાકીદે પ્રશ્ન ઉકેલવા માંગણી કરવામાં આવી હતી.

- text