- text
માળીયા : માળીયાના ભાવપર ગામે આવેલા દાળમા દાદાના મંદિરની દાનપેટીમાંથી રૂ. ૧૦ હજારની ચોરી થઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ત્યારે આ મામલે ફરિયાદ નોંધાતા માળીયા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- text
માળિયાના ભાવપર ગામે રહેતા મનહરભાઈ ગાંડુભાઈ બાવરવાએ માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ભાવપર ગામે તળાવની કાંઠે દાળમાં દાદાનું મંદિર આવેલું છે. આ મંદિરમાં અજાણ્યા શખ્સો દાનપેટીમાંથી રૂ. ૧૦ હજારની રોકડની ચોરી કરી ગયા હતા. ફરિયાદના પગલે માળીયા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- text