હળવદના રાતાભેર ગામે પરિણીતાના આપઘાતના બનાવમાં પતિ સામે ફરિયાદ

- text


જમાઈ નાની નાની વાતમાં દીકરીને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરતા સસરા

હળવદ : હળવદના રાતાભેર ગામે પરિણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ બનાવમાં મૃતક પરિણીતાના પિતાએ જમાઈ વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપીને મરવા મજબૂર કર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદના રાતાભેર ગામે ગત તા. ૧૮ના રોજ બીનાબેન ઇન્દરિયાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે પરીણીતાના પિતા પ્રેમજીભાઈ મોહનભાઇ ડાંગરોચાએ પરિણીતાના પતિ દશરથભાઈ દિનેશભાઇ ઇન્દરિયા સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

- text

પ્રેમજીભાઈ ડાંગરોચાએ ફરિયાદમાં જણાવ્યું કે તેમના જમાઈ દશરથ દ્વારા તેમની દીકરીને નાની નાની બાબતોમાં માનસિક અને શરીરીક ત્રાસ આપવામાં આવતો હતો. જેનાથી કંટાળી જઈને તેને આપઘાત કરી લીધો હતો.

- text