- text
મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં આવેલા રામધન આશ્રમ ખાતે શિવપૂજા, રામધૂન અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો અને સાધુઓ ઉપસ્થિત રહ્યા હતા.
રામધન આશ્રમ- મહેન્દ્રનગર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે રામધૂન, શિવપૂજા અને ભંડારો યોજાયો હતો. આ સમગ્ર ધાર્મિક આયોજન મહંત ભાવેશ્વરી માં ના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વવાણીયા જગ્યાના મહંત જગનદાસ બાપુ, રતનબેન, મુકેશ ભગત અને દિલીપ મહારાજ સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
- text
- text