વાંકાનેર : જડેશ્વર મહાદેવ મંદિરે ૫ સપ્ટેમ્બરે ભવાઈનો કાર્યક્રમ

- text


વાંકાનેર : વાંકાનેર નજીક આવેલા આસ્થાના કેન્દ્ર સમા સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિરે આગામી તા. ૯ સપ્ટેમ્બરના રોજ ભવાઇના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

દર વર્ષની માફક સ્વયંભૂ જડેશ્વર મહાદેવ (રતન ટેકરી)ના સાનિધ્યમાં ગાયોના ઘાસચારા અર્થે તા. ૫ સપ્ટેમ્બરને બુધવારના રોજ શ્રાવણ વદ દસમની રાત્રે સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ ખાખરાળા નાયક હરિલાલ કાનજીભાઈ તથા સ્વ. બાબુલાલ કાનજીભાઈના ભવાઈ મંડળનો ભવાઈનો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે.સર્વે જનતાને લાભ લેવા મહંત તથા સર્વ ટ્રસ્ટીઓ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમ વિક્રમભાઈ વ્યાસની યાદીમાં જણાવાયું છે.

 

- text