મોરબીમાં સતવારા સમાજ દ્વારા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે 

- text


મોરબી : મોરબી સમસ્ત સતવારા નવ ગામ જ્ઞાતિ દ્વારા નૂતન શ્રી શક્તિધામ મંદિર ખાતે આગામી તારીખ 29 એપ્રિલ સોમવારથી 1 મે બુધવાર સુધી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ 108 કુંડી મહાયજ્ઞ યોજાશે.

મોરબીના માધાપર ઓજી રોડ પર આવેલા શક્તિધામ મંદિર ખાતે સંતો મહંતોની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેમાં પેહલા દિવસે તારીખ 29 એપ્રિલે સવારે 11 થી સાંજે 6 કલાકે શોભાયાત્રા તેમજ રાત્રે 10 વાગ્યે મહા રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 30 એપ્રિલના રોજ રાત્રે 10 વાગ્યે કલાકાર દેવાયત ખવડ, ધનરાજ ગઢવી, દલસુખ પ્રજાપતિ દ્વારા ભવ્ય લોક ડાયરો યોજાશે. તારીખ 1 મેના રોજ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાદ બપોરે 11 કલાકે મહા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રસંગે ભકતજનોને દર્શન કરવા તેમજ પ્રસાદનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text