- text
મોરબી : આગામી તારીખ 13મે ને સોમવારના રોજ સર્વે ચૌહાણ પરિવાર મોરબી દ્વારા રોહીદાસપરા શેરી નંબર-5 ખાતે આવેલા મહાકાળી માતાજીના મઢે માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
- text
ચૌહાણ પરિવાર આયોજિત મહાકાળી માતાજીના માંડવા નિમિત્તે 13મેના રોજ સવારે શુભ ચોઘડીયે હવન-કળશનું આયોજન કરાયું છે. ત્યારબાદ થાંભલી રોપણ થશે. રાત્રે 10 કલાકે માતાજીના માંડલુ-જાગરણનું આયોજન કરાયું છે. 14મેના રોજ સવારે શુભ ચોઘડીયે પ્યાલા અને બપોરે 12 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.
- text