વાંકાનેર પોલીસે અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપ્યો

- text


વાહન ચેકીંગ દરમિયાન વઘાસિયા ટોલનાકા નજીકથી મોરબીના ઇસમને ઝડપી લેવાયો

મોરબી : વાંકાનેર પોલીસ મથકમાં નોંધાયેલા લગ્નના ઇરાદે અપહરણના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા પોલીસવડા કરનરાજ વાઘેલાની સૂચનાથી વાંકાનેર સીટી પીઆઇ બી.ટી. વાઢીયા સહિતનો સ્ટાફ મંગળવારની રાત્રીના વઘાસિયા ટોલનાકા નજીક વાહન ચેકીંગ કરતા હતા ત્યારે વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાયેલ લગ્નના ઇરાદે અપહરણ કરવાના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા મોરબીના લાયન્સ નગરમાં રહેતા હરેશભાઇ હરસુખભાઈ હળવદીયા નામનો આરોપીને ઝડપી લીધો હતો.

- text

પોલીસની આ કામગીરીમાં પીઆઇ બી.ટી.વાઢીયા સાથે એએસઆઈ નરશીભાઈ પારધી, એચ.ચી. રાજેન્દ્રસિંહ જાડેજા, પી.સી. અરવિંદભાઈ સહિતનો સ્ટાફ સાથે રહ્યો હતો.

- text