મોરબીમાં મહારાણા પ્રતાપ જન્મજયંતિ નિમિતે આજે બાઈક રેલી

- text


મોરબી : મોરબીમાં આજે તા.૯ને બુધવારે મહારાણા પ્રતાપ જન્મજયંતિ નિમિતે શક્ત સનાળા ગામ થી મહારાણા પ્રતાપ ચોક હાઉસિંગ સુધી બાઈક રેલીનુ આયોજન કરવામાં આવ્યું છે.

આજે તા. ૯ને બુધવારના રોજ સાંજે ૫ કલાકે મહારાણા પ્રતાપ જન્મજયંતિ નિમિતે બાઈક રેલી યોજાશે. બાઇક રેલીનું શક્તિ ધામ મંદિર, શક્ત સનાળા ગામથી પ્રસ્થાન કરાવવામાં આવશે. બાદમાં મહારાણા પ્રતાપ ચોક હાઉસિંગ પર રેલીની પુર્ણાહુતી થશે.

આ બાઈક રેલીમાં હિન્દુ યુવા સંગઠન ,રાજપૂત કરણી સેના, મોરબી રાજપૂત સમાજ , બજરંગ દળ ,શિવ સેના ,હિંદુ એકતા સેના અને મહાકાલ ગ્રુપ-સતવારા સમાજ સહિતના સંગઠનો જોડાશે

- text

- text