મોરબીના ખંડણી પ્રકરણમાં તપાસનો ધમધમાટ

- text


એસપી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજી સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ

મોરબી: મોરબીના ઉદ્યોગપતિની કાર પાસે બ્લાસ્ટ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ.૧ કરોડની ખંડણીની માંગ કરવાના પ્રકરણમાં પોલીસે ત્રણ શકમંદોની ઉલટ તપાસ કરી હતી. પરંતુ પોલીસ ને આ શકમંદો પાસેથી કોઈ મહત્વની કડી મળી ન હતી.

મોરબીના ઉદ્યોગપતિ પ્રવીણભાઈ વલ્લભભાઈ બારૈયા ગત તા.૨૦ના રોજ પોતાની કાર પર વાંકાનેરના સહતાનપર રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા તે સમયે તેમની કાર નજીક બ્લાસ્ટ કરીને ખંડણીખોરે તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને રૂ.એક કરોડની ખંડણી માંગી હતી આ બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું એસપી જયપાલસિંહ રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજી સહિતની પોલીસની ટીમોએ ખાનગી રાહે તપાસનો દોર શરૂ કર્યો હતો.

- text

પોલીસે ત્રણ શખ્સોને રાઉન્ડઅપ કરીને આ ઘટનાની કડી મેળવવા પૂછપરછ હાથ ધરી હતી પરંતુ તેમાંથી હજુ સુધી કોઈ નક્કર કડી મળી ન હતી. આ કેસને નુકસાન ન થાય તે માટે પોલીસે કેસ અંગે કોઈ વિગતો જાહેર કરી નથી અને ખંડણીખોર ને ઝડપી લેવા વિવિધ દિશામાં તપાસ ચાલુ રાખી છે.

- text