- text
મોરબી: મોરબીમાં રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટના આગેવાન હરિશભાઈ રાજા દ્વારા તેમની સરદાર રોડ ખાતે આવેલી દુકાન પાસે રાહદારીઓને જળ વિતરણ કરવાનું સેવાકાર્ય ચલાવવામા આવી રહ્યું છે. ત્યારે દિવસ દરમિયાન અનેક લોકો અહીંથી ઠંડુ પાણી પી ને તેઓને અંતરના આશીર્વાદ આપી રહ્યા છે
- text
ઉનાળા ના સમય મા એક બાજુ જ્યારે સૂર્ય નારાયણ કોપાયમાન થયા છે ત્યારે બીજી બાજુ મોરબી મા સેવા ભાવી સંસ્થા ઓ દ્વારા માનવતા મહેકાવવા મા આવી રહી છે. તેવી જ રીતે રધુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ ના આગેવાન હરીશભાઈ રાજા દ્વારા શહેર ના સરદાર રોડ સ્થિત તેમના વ્યવસાયિક પ્રતિષ્ઠાન ખાતે પસાર થતા રાહદારીઓ માટે વિના મૂલ્યે જલ સેવા પ્રદાન કરવા મા આવી રહી છે. ગત વર્ષે ઉનાળા ના સમય દરમિયાન તેમના સહયોગી પ્રકાશભાઈ નુ સન સ્ટ્રોક થી અવસાન થયુ હતુ ત્યારે તેમને સાચી શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આ ભગીરથ કરવામાં આવી રહ્યું છે.
- text