ટંકારાના સજ્જનપુર ગામે વિજશોક લાગવાથી યુવાનનું મોત

- text


મોરબી: ટંકારાના સજ્જનપર ગામે પાણી છાટી રહેલા યુવાનનો ઇલેક્ટ્રિક મોટર પર પગ પડતા વીજ શોક લાગવાથી મોત નીપજ્યું હતું. પોલીસે આ અકસ્માતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારા તાલુકાના સજ્જનપર ગામે ઓમવિલા સોસાયટીમાં રહેતા રઘુરાજભાઈ સરોજ ઉ.વ.૧૮ ઘરે પાણી છાટી રહ્યા હતા. તે વેળાએ તેમનો પગ ઇલેક્ટ્રિક મોટર પર પડી જતા તેઓને વિજશોક લાગ્યો હતો. વિજશોક લાગવાથી યુવાનનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી જરૂરી કાર્યવાહી કરી હતી.

- text

 

- text