Morbi: DDO જે. એસ. પ્રજાપતિની ઉપસ્થિતિમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

- text


Morbi: હાલમાં લોકસભા ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયેલું છે. જયારે તારીખ 7મે 2024ના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે.

મોરબી જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે હેતુથી તાજેતરમાં ટંકારા વિધાનસભા મત વિસ્તારના જોધપર (ઝાલા) તેમજ વાંકાનેર વિધાનસભા મત વિસ્તારના જાલશિકા ગામ ખાતે મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિની ઉપસ્થિતિમાં મતદાર જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મતદાન જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો અને મતદાન અંગે માહિતી આપવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ ઉપસ્થિત સર્વે ગ્રામજનોને મતદાનનું મહત્વ સમજાવી અવશ્ય મતદાન કરવા તેમના અન્ય લોકોને પણ મતદાન કરવાની પ્રેરણા આપવા જણાવ્યું હતું. ઉપસ્થિત ગ્રામજનોએ મતદાનના દિવસે અવશ્ય મતદાન કરવા અંગે શપથ પણ લીધા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મતદારો જોડાયા હતા.

- text

- text