ટંકારાના હીરાપર નજીક કાર પલટી જતા 2 ના મૃત્યુ

- text


દ્વારકા દર્શન કરી પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો

ટંકારા : ટંકારા તાલુકાના હિરાપર ગામના પાટીયા નજીક અલ્ટો કાર પલટી ખાઈ જતા દ્વારકા દર્શન કરી પરત ફરતા મોરબીના બારોટ પરીવારના 7 સભ્યો માથી 5 સભ્યો ધાયલ થયા હતા જેમાં 2 લોકોના ધટના સ્થળે મોત નિપજ્યા હતા

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા – લતિપર રોડ ઉપર હીરાપર ગામના પાટિયા પાસે આજે મંગળવારે વહેલી સવારે દ્વારકા દર્શન કરી પરત ફરી રહેલા મોરબીના બારોટ પરિવારની જીજે-36-એફ-0720 નંબરની અલ્ટો કારને અકસ્માત નડતા કાર પલટી ખાઈ જતાં કારમાં સવાર 7 લોકો પૈકી ચાલક શક્તિ રાજેશભાઇ બારોટ ઉ. વ 39, એમના પત્ની જલ્પાબેન ઉ. વ. 30, અને 3 પુત્રી આસ્થા ઉ. વ 9 , તુલસી ઉ. વ 5, જીનલ ઉ. વ 1 ને ઈજા થતા ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયા હતા.

- text

જયારે કારમાં સવાર પૈકી નિર્મળાબેન રાજેશભાઇ સોનરાજ ઉ. વ 65 અને ગૌરીબેન રામકુમાર રેણુકા ઉ. વ 70 નુ ધટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતનો ભોગ બનનાર મુળ સુરેન્દ્રનગરના હોવાનું અને હાલ રહે બધા મોરબી ધુંટુ રામકો વિલેજમા રહેતા હોવાનું તેમજ દ્વારકા દર્શન કરી ધરે પરત ફરતા હતા ત્યારે ટંકારા નજીક અકસ્માત સર્જાયો હતો.બનાવ અંગે ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ના ભાસ્કર વિરસોડિયા એ ટંકારા પોલીસ ને જાણ કરતા બિટના જમાદાર ઈમ્તિયાઝભાઈ ઝામ અને સાગરભાઈએ તાત્કાલિક આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text