વાંકાનેરના હસનપર ગામે જુના મનદુઃખને કારણે ૪ શખ્સોએ યુવકને ધોકાવ્યો

- text


મોરબી: વાંકાનેરના હસનપર ગામે અગાઉના મનદુઃખનો ખાર રાખી ૪ શખ્સોએ યુવકને માર મારી જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને નોંધાઇ છે.

- text

વાંકાનેરમાં રહેતા અસલમ હુસેનભાઇ કુરેશી ઉ.વ.૨૮એ ફરિયાદ નોંધાવી હતી કે અગાઉ પ્લોટ બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને અજય મયા ભરવાડ, ભરત સતા ભરવાડ , સમીર સતા ભરવાડ અને મોમાં રાધવ ભરવાડે હસનપરની ખોડિયાર હોટલ સામે તેઓને ગાળો આપી, ઢીકા પાટુ તેમજ બેઝબોલના ધોકા થી માર મારીને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી.પોલિસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text