મોરબી : ડે.ડીડીઓ ગોવાણી અને મધ્યાહન યોજનાના ડે.કલેકટરની બદલી

- text


મોરબી:રાજ્ય સરકારે આજે વધુ એક ચૂંટણીલક્ષી બદલીનો ઘાણવો કાઢી ૨૧ જીએએસ કેડરના અધિકારીના બદલી હુકમ કર્યા છે જેમાં મોરબીના બે અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

આજે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે ગુજરાત કેડરના ૨૧ અધિકારીઓની બદલી અંગેના હુકમો કર્યા હતા જે અન્વયે મોરબી જિલ્લા પંચાયતના ડે.ડીડીઓ એન.પી.ગોવાણીની ભાવનગર ખાતે બદલી કરવામાં આવી છે અને મોરબી જિલ્લા કલેકટર કચેરીમાં મધ્યાહન ભોજન યોજનાના ડે.કલેકટર ડી.વી. વિઠલાણીની બદલી કરી તેમને દેવભૂમિ દ્વારકા ખાતે મુકવામાં આવ્યા છે.

- text

- text