આવતીકાલે મોરબીમાં ઘૂંટણ તથા થાપાના દર્દીઓ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ

- text


પાર્થ હોસ્પિટલ મોરબી ખાતે તજજ્ઞ તબીબ દર્દીઓને તપાસસે

મોરબી:મોરબી ખાતે આવતીકાલે ઘૂંટણ તથા થાપાના દર્દીઓ માટે પાર્થ હોસ્પિટલમાં વિનામૂલ્યે નિદાનકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આજના સમયમાં અનેક દર્દીઓ ઘૂંટણ તથા થાપાના દર્દથી પીડાય છે ત્યારે તબીબી સંશોધનોમાં ક્રાંતિકારી બદલાવ આવ્યા છે અને ઘૂંટણ તથા થાપાની ગાદીનો ઘસારો જ્યારે આગળના તબબકામાં વધી જાય ત્યારે તેનું પ્રત્યારોપણ આવશ્યક બની જતું હોય છે.
દર્દીઓને ઘૂંટણ,થાપાના રીગનું સચોટ નિદાન થાય તે હેતુથી મોરબીના ૭ સાવસર પ્લોટ ખાતે આવેલી પાર્થ હોસ્પિટલમાં શનિવારે સવારે ૧૦થી૧ અને સાંજે ૪ થી ૬ દરમિયાન તજજ્ઞ ડો.નીતિન બુધદેવ દ્વારા આવા દર્દીઓને વિનામૂલ્યે તપાસી નિદાન કરવામાં આવશે.
જોકે આ કેમ્પમાં ભાગ લેવા ઇચ્છતા દર્દીઓને એક્સરે ખર્ચ આપવો પડશે અને જૂના એક્સરે સાથે લાવી મોબાઇલ નં.૯૯૭૮૮ ૦૯૧૯૭ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

- text

- text