ટંકારા આર્ય સમાજ દ્વારા સ્વાઇનફ્લુ પ્રતિરોધક કીટનું વિતરણ

- text


ટંકારા:હાલમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઈનફલુની બીમારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ટંકારા આર્યસમાજ દ્વારા સ્વાઇનફ્લુ પ્રતિરોધક કીટનું નિઃશુલ્ક વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

સ્વાઈફલુ ના હાહાકાર વચ્ચે ટંકારા આર્ય સમાજ દ્વારા નિ:શુલ્ક હોમિયોપથી કિટ નુ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે,
રાજ્ય આખા ને ભયભીત કરતો અને વાયરસ થી ફેલાતો રોગ સ્વાઈફલુ થી બચવા માટે ટંકારા આર્ય સમાજ ની ત્રણ હાટડી મા આવેલી સરકારી હોમિયોપથી હોસ્પિટલમાં નિ:શુલ્ક દવા વિતરણ શરૂ કર્યું છે જેમા પરીવારના સભ્યો દિઠ સવાર સાંજ એમ 3 દિવસ ની ગોળી આપવામાં આવે છે જેનો લાભ લેવા મેડિકલ ઓફિસર દ્વારા અનુરોધ કર્યો છે.

- text

- text