હડમતિયા કન્યા-કુમારશાળામાં ક્રૃમિનાશક ગોળીઅોનું વિતરણ કર્યું

- text


હડમતીયા : ૧૦ અોગષ્ટ અેટલે રાષ્ટ્રીય ક્રૃમિનાશક દિવસ હોવાથી હડમતિયામાં કુમારશાળાના વિધાર્થીઅો દ્વારા “રાષ્ટ્રીય ક્રૃમિનાશક દિવસ” ની જન જાગૃતિ અભિયાન તળે રેલી કાઢવામાં આવી હતી. ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ડિસ્ટ્રીક હેલ્થ સોસાયટી મોરબી જીલ્લા પંચાયત દ્વારા આયોજીત કાર્યક્રમ રાખવામા અાવેલ તેમજ સ્કુલમાં ગોળી વિતરણ અને રેલીનું આયોજન “હડમતિયા અારોગ્ય સબસેન્ટર” હેલ્થ વર્કર ભાવનાબેન વી. ભીંડી તેમજ સુપરવાઈઝર મધુબેન ગોસ્વામી અને આરોગ્યના અન્ય કર્મચારીઅો દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે કુમારશાળાના આચાર્યશ્રી નરેન્દ્રભાઈ ધાનજા અે રેલીનુ પ્રસ્થાન કરાવ્યું હતું.

- text

- text