મોરબીમાં પ્રજા રામ ભરોશે…મોટાભાગનો પોલીસ સ્ટાફ બે દિવસથી વડાપ્રધાનની સુરક્ષામાં !!!

- text


વારંવારના રાજકીય કાર્યક્રમોથી પોલીસ જવાનો ગાંધીધામ, કરછ, જસદણ બાદ હવે મોરબીની મોટાભાગની પોલીસ રાજકોટ ખેચી લેવાઈ

મોરબી : વડા પ્રધાન- મુખ્ય પ્રધાનના વારંવારના રાજકીય કાર્યક્રમોને કારણે મોરબી જીલ્લા પોલીસ જવાનોને બંદોબસ્તના કામે લગાવી દેવામાં આવે છે. ત્યારે રાજકોટમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં મોરબી જીલ્લા પોલીસ વડા સહિતનો મોટાભાગનો પોલીસ કાફલો છેલ્લા 2 દિવસથી બંદોબસ્તમાં રાજકોટ હોવાથી મોરબીમાં પ્રજા રામ ભરોશે હોય તેવો ઘાટ સર્જાયો છે.
છેલા એક મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કચ્છ પ્રવાસથી શરૂ કરીને મુખ્યમંત્રી રૂપાણીના જુદા જુદા કાર્યક્રમોને લઇ મોરબી પોલીસ જવાનોને બંદોબસ્તની ડયુટી ફાળવવાનું પ્રમાણ ખુબ વધી ગયું છે. તાજેતરમાં મુખ્યમંત્રીના જસદણ કાર્યક્રમમાં પણ મોરબીમાં મહત્વની જગ્યાઓ પર ફરજ બજાવતા પોલીસ જવાનોને મોકલી દેવામાં આવ્યા હતા.બીજી તરફ રાજકોટમાં વડાપ્રધાન મોદીના આજી નર્મદા અવતરણ કાર્યક્રમને લઇ જીલ્લા પોલીસવડા સહીત મોરબીના મોટાભાગના પોલીસ જવાનોને વધારાની બદોબસ્ત ડયુટી ફાળવી દેવાતા મોરબીમાં રેઢા રાજ જેવી પરિસ્થિતિ સર્જાયી છે.
ઉલ્લેખનીય છેકે, છેલે થોડા સમયમાં મોરબી પોલીસની જીલ્લા બહાર બંદોબસ્ત ડયુટીને કારણે ગુનેગારોને મોકળું મેદાન મળ્યું છે અને તેના કારણે મોરબી જીલ્લાનો ક્રાઈમરેટ દિવસે દિવસે ઉપર ચડી રહ્યો છે.

પ્રતીકાત્મક ફોટો

- text