- text
વક્તા અને માર્ગદર્શક ડો. સતીશ પટેલ બાળઉછેર વિશે જ્ઞાનની આપ-લે કરી માતાઓની મુંજવણો દૂર કરશે
ટંકારા તાલુકાનાં નસીતપર, ભક્તિનગર અને રામનગર ગામ દ્વારા આદર્શ માતા અભિયાન કાર્યક્રમનું આયોજન તા. તા. ૨૭ મેનાં શનિવારનાં રોજ રાત્રે ૮ વાગ્યે નસીતપર સમાજવાડી, ટંકારા ખાતે કરવામાં આવ્યું છે. આ આદર્શ માતા અભિયાનમાં વક્તા અને માર્ગદર્શક ડો. સતીશ પટેલ દ્વારા બાળઉછેર વિશે વિસ્તૃત માહિતી અને માતાઓને મુંજવતા પ્રશ્નોનાં નિકારણ સાથે ‘બાળઉછેર બે હાથમાં’ પુસ્તકનું વિતરણ કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી મેળવવા શૈલેષભાઈ મોરડીયા ૯૮૭૯૫૩૨૪૦૦ અને કિશોરભાઈ કાલરીયા ૯૮૭૯૮૬૩૭૯૦ પર સંપર્ક કરી શકાશે.
- text
- text