મોરબીમાં જાહેરનામાનો ભંગ કરી દુકાન ખુલ્લી રાખનારની અટકાયત

- text


મોરબી : ગઈકાલે તા. 31ના રોજ મોરબીમાં સરદારબાગ પાછળ સોમનાથ સોસાયટીમાં રહેતા અશોકભાઇ ગીરધરલાલભાઇ મીરાણી (ઉ.વ. 63) એ પોતાની શીવમ અનાજ ભંડાર નામની દુકાનને જાહેરનામામાં દર્શાવેલ સમયે બંધ નહી કરી ખુલ્લી રાખી હોવાથી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા તેઓની વિરુદ્ધ મોરબીના જાહેરનામાનો ભંગનો ગુનો નોંધવામાં આવેલ છે. તેમજ આરોપી અશોકભાઇની અટકાયત કરવામાં આવેલ છે.

- text