વાંકાનેર સીટી પોલીસે વિવિધ સ્થળોએ દીપ પ્રાગટ્ય કર્યું

- text


વાંકાનેર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના સામેની જંગમાં દેશવાસીઓની એકતા અને આશાને ઉજાગર કરવા દીપ પ્રાગટ્યની અપીલ કરવામાં આવી હતી. ત્યારે વાંકાનેર સીટી પોલીસ મથકે દિવા પ્રગટાવવામાં આવેલ હતા. તેમજ વાંકાનેર સીટી પીઆઈ એચ.એન. રાઠોડ તેમજ સ્ટાફ દ્વારા વાંકાનેર ગ્રીનચોનમાં મોરબી પોલીસની થીમ આધારીત દિપ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. વાંકાનેર સીટી પીએસઆઈ પી.સી. મોલિયા અને સ્ટાફ દ્વારા માર્કેટ ચોકમાં મોરબી પોલીસની થીમ આધારીત દિપ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. તેમજ વાંકાનેર સીપીઆઈ તેમજ સ્ટાફ દ્વારા ચાવડીચોક પોલીસ ચોકિમાં દિપ પ્રજ્વલિત કરવામાં આવેલ હતા.

- text