મોરબીના વોર્ડ નં. 3માં ગટરનું દુષિત પાણી ઉભરાતા સ્થાનિકો ત્રસ્ત

- text


મોરબી : વર્તમાન સમયમાં લોકો કોરોનાના કહેર વચ્ચે જીવી રહ્યા છે. અને લોકડાઉનના કારણે જરુરી કામ સિવાય ઘરની બહાર નીકળવા પર મનાઈ છે. ત્યારે મોરબીના વોર્ડ નં. 3માં ગટરનું દુષિત પાણી ઉભરાતા સ્થાનિકોને ઘરમાં રહેવું પણ મશ્કેલ બની ગયું છે.

- text

મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલા વોર્ડ નં. 3માં જૈન દેરાસરની સામે ગટરનું પાણી બહાર નીકળી રહ્યું છે. ગટરના દુષિત પાણીના કારણે ગંદકી અને દુર્ગંધથી ત્રાસી ગયા છે. હાલમાં જયારે કોરોના વાયરસ સામે રક્ષણ માટે સ્વચ્છતા અને સાવચેતી રાખવી ખુબ જ જરુરી છે. ત્યારે આવા સમયમાં ગટરમાંથી દુષિત પાણી ઉભરાતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે.

- text