મોરબીના સનહાર્ટ ગ્રુપવાળા ગોવિદભાઈ વરમોરાનું કડીમાં સન્માન

- text


મોરબી : મોરબીના સનહાર્ટ ગ્રૂપવાળા ગોવિંદભાઈ વરમોરા તાજેતરમાં યોજાયેલા ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય યજમાન બન્યા હતા. જે બદલ તેઓનું કડી ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.

- text

કડી ખાતે સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સમાજ શ્રેષ્ઠી દાતાઓનું અભિવાદન, ધો.10 અને 12ના છાત્રોનો વિદાય સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોરબીના સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઈ વરમોરાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ ધારાસભ્ય બાબુભાઇ પટેલ, ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ મણીભાઈ પટેલ, મંત્રી દિલીપભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

- text